Saturday, November 21, 2020

આજના યુવાનો બાઇક રાયડર નહીં પેન 🖋 રાયડર બનો.

- સુહાસ વળવી.. 
 માનવતા  ની શાળા અને શાળા બંદ શિક્ષણ ચાલુ આ સૂત્ર હેઠળ આપ કી જય બહુ ઉદ્દેશ્ય સંસ્થા દ્વારા શૈક્ષણિક સાહિત્ય નું વિતરણ કરવામાં આવ્યું
-આપ કી જય બ વાહુ ઉદ્દેશ્ય સંસ્થા દ્વારા અમલપાડા માં આવેલ શાળા ના ધોરણ 1 થી 5 સુધી ના બાળકો ને 1001 નોટ બુક 101 પેન, માસ્ક સેનિટાઈઝર વગેરે નું વિતરણ કરવામાં આવ્યું
સ્થળ પર થી મળતી માહિતી મુજબ તાપી જિલ્લા ના છેવાડે થી નજીક આવેલું મહારાષ્ટ્ર રાજ્ય ના તલોદા તાલુકા માં આવેલા અમલપાડા ગામ ખાતે આપ કી જય બહુ ઉદ્દેશ્ય સંસ્થા દ્વારા શૈક્ષણિક સાહિત્ય વિતરણ નો કાર્યક્રમ યોજવા માં આવ્યો હતો જેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો ગરીબ બાળકો ને નોટ બુક, પેન, માસ્ક, સેનીટાયઝર વગેરે નું વિતરણ તેમજ મહિલાઓ નું સન્માન હતું.
આ કાર્યક્રમ ના મુખ્ય અતિથિ તરીકે શ્રી નાગેશ દાદા પાડવી ઉપસ્થિત થયા હતા અને એમના દ્વારા કાર્યક્રમ નું ઉદ્ઘાટન રિબન કાપીને કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ અનેક વકતાઓ  એ ભાષાણ આપ્યું હતું અને આદિવાસી સમાજ માં શિક્ષણ નું મહત્વ સમજાવ્યું હતું. એમાં એક વક્તા એવા એડવોકેટ કૈલાશ વસાવે એ જણાવ્યું હતું કે માત્ર શિક્ષિત થઈ જવું એ શિક્ષણ નથી પરંતુ બીજા ને પણ શિક્ષિત કરવું એ ખરેખર સાચું શિક્ષણ છે અને આદીવાસી વિસ્તાર માં દરેક વ્યક્તિ એ શિક્ષિત થવું જોઈએ અને દરેક માતા પિતા ભલે ખેત મજુરી કરતા હોય તો પણ સાંજે 30 મિનિટ તો પણ પોતાના બાળકો માટે કાઢવું જોઈએ.
અને વધુ માં જણાવ્યું હતું કે આજ કાલ ના યુવાનો મસ મોટી બાઇક લઈને રાઈડર બનતા ફરે છે  તેઓ *રાઈડર નહીં પેન રાઈડર* બને તો સમાજ માટે વધુ સારું રહે એવું જણાવ્યું હતું
ત્યાર બાદ શાળા ના ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ ને નોટ બુક, પેન માસ્ક વગેરે વિતરણ કરવામાં આવ્યું હતું.અને પછી મહિલાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં અમલપાડા ગામ ની ખાસ મહિલા કાલી બેન નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું કારણ કે તેઓને ગામ માં બાળતજજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે એવું કહેવાય છે કે નવજાત શિશુ થી લઈ નાના બાળકો ને તેઓ માલિશ થી જ સજા કરી દે છે જેથી તેમનું એક વિશેષ મહિલા તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. ખરેખર બાળકો અને મહિલા  અને અન્યો માટે સેવા કરતી આ સંસ્થા નું આ કાર્ય માનવતા નું એક ઉત્તમ ઉદાહરણ ગણાવી શકાય.

Friday, November 20, 2020

माजी पंतप्रधान स्व.इंदिराजी गांधी यांच्या जयंतीनिमित्त नंदुरबार जिल्हा युवक काँग्रेसने गरजूंना ब्लॅंकेट वाटप केले

माजी पंतप्रधान स्व.इंदिराजी गांधी यांच्या जयंतीनिमित्त नंदुरबार जिल्हा युवक काँग्रेसने गरजूंना ब्लॅंकेट वाटप केले. यावेळी महाराष्ट्र राज्य युवक काँग्रेसचे प्रदेश चिटणीस राहुलजी माणिक, संदीप परदेशी जिल्हा उपाध्यक्ष, नोंगाबाई वसावे सरपंच गंगापूर, विशाल कोळी पंचायत समिती सदस्य,आदिल भाई शेख,जयेश जोहरी, कांतीलाल पाडवी, मोहून शेख, हुजेफ मक्रांणी,गमेरसिंग वसावे, वासुदेव वळवी, गणेश वसावे,छगन वळवी, साजन पाडवी व ग्रामस्थ उपस्थित होते !
#IndiasIndira #MaaTujheSalaam

Thursday, November 19, 2020

दिल्ली में मास्क नहीं पहनने वालों के लिए बड़ी ख़बर

दिल्ली में मास्क नहीं पहनने वालों के लिए बड़ी ख़बर

दिल्ली में कोरोना वायरस के बढ़ते मामलों के मद्देनजर अरविंद केजरीवाल सरकार ने लिया बड़ा फैसला...अब दिल्ली में मास्क न पहनने वालों पर 2000 रुपये तक का फाइन लगाया जाएगा. पहले ये जुर्माना 500 रुपये था, जिसे चार गुना बढ़ा दिया गया है.

૨૩ નવેમ્બરથી શરૂ થતી શાળાઓ માટે ગુજરાત સરકારે જાહેર કરી આ ગાઈડલાઈન

23 નવેમ્બર થી ગુજરાત રાજ્યમાં શાળાઓ શરૂ કરવા અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની અધ્યક્ષતા માં આજે કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં શાળાઑ ખોલવા અંગે ગાઇડ લાઇન નક્કી કરવામાં આવી હતી. આ ગાઈડ લાઈન માં મંગળવાર, ગુરુવાર અને શનિવારે ધોરણ-9 અને ધોરણ -11 ના વિદ્યાર્થીઓ તથા સોમવાર, બુધવાર અને શુક્રવારે ધોરણ- ૧૦ અને ધોરણ- ૧૨ ના વિધાર્થીઓએ માસ્ક સાથે શાળામાં જવાનું રહેશે.

પરંતુ આ માટે વાલીઓની ફરજિયાત લેખિતમાં પરમિશન લેવાની રહેશે. ઉપરાંત જે વિદ્યાર્થીઓ ક્લાસ માં જોડાવા માંગતા ન હોય તેવા વિદ્યાર્થીઓએ ઓનલાઈન ક્લાસ ફરજીયાત ભરવાના રહેશે. શાળામાં સંક્રમિત વિદ્યાર્થી કે કર્મચારી ન પ્રવેશે તેની જવાબદારી સત્તાધારી ની રહેશે. સાથેજ જે વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાં આવતો હોય તેવા વિસ્તારમાં શાળાઓ ખોલી શકાશે નહીં. અને શાળામાં કર્મચારીઓ કે બાળકો જઈ શકશે નહીં.

Wednesday, November 18, 2020

*પ્રકૃતિ ના ત્રણ કડવા નિયમ, જે સત્ય છે!!!*

*પ્રકૃતિ ના ત્રણ કડવા નિયમ, જે સત્ય છે!!!*

*(૧)  પ્રકૃતિ નો પહેલો નિયમ:*

      *અગર ખેતર માં બીજ ન નાખીએ તો કુદરત એને ઘાસ-ફુસ થી ભરી દે છે!!*

 *એજ રીતે દિમાંગ માં સકારાત્મક વિચારો ન ભરીએ તો નકારાત્મક વિચારો એની જગા બનાવીજ લે છે!!!*

*(૨) પ્રકૃતિ નો બીજો નિયમ:*

      *જેની પાસે જે હોય છે તેજ તે વહેંચે છે.*
 *સુખી સુખ વહેંચે છે!!*
 *દુઃખી દુઃખ વહેંચે છે!!*
*જ્ઞાની જ્ઞાન વહેંચે છે!!*
*ભ્રમિત ભ્રમ વહેંચે છે!!*
*ભયભીત ભય વહેંચે છે!!*

*(3) પ્રકૃતિ નો ત્રીજો નિયમ:*

      *આપ ને જીવનમાં જે પણ મળે, એને પચાવતા શીખો કારણકે,*
 *ભોજન ન પચવાથી, રોગ વધે છે!!*
 *પૈસા ન પચવાથી, દેખાડો વધે છે!!*
 *વાત ન પચવાથી, ચુગલી વધે છે!!*
 *પ્રશંસા ન પચવાથી, અભિમાન વધે છે!!*
 *નિંદા ન પચવાથી, દુશ્મની વધે છે!!*
 *ગુપ્ત વાત ન પચવાથી, ખતરો વધે છે!!*
 *દુઃખ ન પચવાથી, નિરાશા વધે છે!!*
 *સુખ ન પચવાથી, પાપ વધે છે!!*

 *વાત બહુજ કડવી છે, પણ એટલીજ સત્ય છે!!*
 
 *સત્ય કડવું નથી હોતુ, પરંતુ તે સ્વીકારવાની પરિસ્થિતિ કડવી હોય છે.*
😍સુહાસ વળવી....✍️

Thursday, November 12, 2020

મહારાષ્ટ્ર ના માજી વન મંત્રી સ્વ.દિલવરસિંગ દાદા પાડવીના પુણ્યતિથિ નિમિત્તે વાણ્યાવિહિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

AIJ NEWS GROUP 
હંસરાજ પાડવી સાથે સુહાસ વળવી 
કેમેરામેન નિતીન વસાવે
નાગેશદાદા પાડવી સાથે  મુલાકાત લેતી RELAX NEWS ની ટીમ  👆
-મહારાષ્ટ્ર ના માજી વન મંત્રી સ્વ.દિલવરસિંગ દાદા પાડવીના પુણ્યતિથિ નિમિત્તે વાણ્યાવિહિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

- 100 જેટલા રક્તદાતાઓ એ રક્તદાન કર્યું

સ્થળ પરથી મળતી માહિતી મુજબ કૂકરમુંડા તાલુકાને અડીને આવેલા મહારાષ્ટ્રના વાણ્યાવિહિર ગામે આજે સ્વ. દિલવરસિંગ દાદા, માજી વનમંત્રી મહારાષ્ટ્ર રાજ્ય ના પુણ્ય તિથિ નિમિત્તે વાણ્યાવિહિર ખાતે આવેલ શ્રી સાતપૂળા વૈભવ વિદ્યાલયમાં રક્ત દાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 જેટલા રક્તદાતાઓ દ્વારા રક્ત દાન કરવામાં આવ્યું. શિબિરના મુખ્ય અતિથિ તરીકે રાજેશ પાડવી, ધારાસભ્ય હાજર રહ્યા હતા. દિલવરસિંગદાદા ના પુત્ર નાગેશભાઈ પાડવી, બીજેપી, અનુ.જમાતી મોરચા પ્રદેશ ઉપાધ્યક્ષ મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા આ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ગામના આગેવાનો અને કાર્યકરો અને વડીલો હાજર રહ્યા હતા. નાગેશભાઈ પાડવી, એ જણાવ્યું હતું કે તેમના પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે કોઈ ને કોઈ સેવા ભાવિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અને તેઓ દ્વારા આવતા વર્ષે લોકોના હિત માટે આવતા વરસે પુણ્યતિથિના દિવસે એમ્બ્યુલન્સ ફાળવવા માં આવશે. અને વધુમાં તેઓ એ જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિએ રક્ત દાન કર્યું જોઈએ જેથી કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિ ને એ રક્ત થી સહાય મળે અને આદીવાસી વિસ્તારો માં ખરેખર જરૂર થી રક્ત દાન કરવું જોઈએ એવું જણાવ્યું હતું. ખરેખર એમના દ્વારા કરવા માં આવેલા આ કાર્યને માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ ગણાવી શકાય.
Contact No. NEWS Admin KUKARMUNDA TAPI  Hansraj Padvi  YOUTUBE LINK RELAX NEWS👉https://www.youtube.com/channel/UCzfhxqZokheZIbp91W5r_tw 👉 AIJ GUJARAT NEWS LINK https://www.youtube.com/channel/UCSQQU_iII58dWiMB6zwgMFA

બાળકોને કંઈ થશે તો વાલીઓની જવાબદારી:ગુજરાતમાં 23મીથી વાલીઓના ભરોસે ઓડ-ઇવન પદ્ધતિથી ધો.9થી 12ની સ્કૂલ ખૂલશે,

બાળકોને કંઈ થશે તો વાલીઓની જવાબદારી:ગુજરાતમાં 23મીથી વાલીઓના ભરોસે ઓડ-ઇવન પદ્ધતિથી ધો.9થી 12ની સ્કૂલ ખૂલશે, સરકાર-સંચાલકોએ જવાબદારીમાંથી હાથ ખંખેર્યા
અમદાવાદ6 કલાક પહેલા

વાલીઓએ સ્કૂલને સંમતિ પત્ર આપવું પડશે કે મારી જવાબદારીએ મારા બાળકને સ્કૂલે મોકલું છું
કોરોના મહામારીને કારણે 8 મહિનાથી બંધ સ્કૂલો દિવાળી પછી ખોલવામાં આવશે. રાજ્યમાં ધોરણ 9થી 12ના વર્ગો 23 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. આ અંગે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં દિવાળી પછી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો અને કોલેજોમાં શિક્ષણકાર્ય ફરી શરૂ કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને રાજ્યમંત્રી વિભાવરીબહેન દવેએ આ નિર્ણયની વિગતો આપી જણાવ્યું હતું કે કોવિડ-19ને કારણે ગુજરાત સહિત દેશમાં માર્ચ મહિનાથી સ્કૂલ-કોલેજો-શૈક્ષણિક સંસ્થાઓ સંક્રમણ વધે નહિ એ આશયથી બંધ કરવામાં આવી હતી. હવે, રાજ્ય સરકાર અનલોક-5માં ભારત સરકારના દિશાનિર્દેશો અને ગાઇડલાઇન્સના અનુપાલન સાથે રાજ્યમાં સ્કૂલ-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય તબક્કાવાર પુન:શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

સરકાર અને સ્કૂલ-સંચાલકોએ જવાબદારીમાંથી હાથ ખંખેરી વાલીઓના માથે નાખી
સ્કૂલ-કોલેજો શરૂ કરવા અંગે કેબિનેટની બેઠકમાં લીધેલા નિર્ણયની જાહેરાત કરતાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે દરેક વાલીએ સ્કૂલોને સંમતિ પત્ર આપવું પડશે કે મારી જવાબદારીએ મારા બાળકને સ્કૂલે મોકલું છું. શિક્ષણમંત્રીના આ નિવેદનને કારણે રાજ્ય સરકારની આ નીતિ જોતાં કોરોનાકાળમાં સરકાર કે સ્કૂલ-સંચાલકોએ જવાબદારીમાંથી હાથ ખંખેરી વાલીઓના માથે નાખી હોવાનું સ્પષ્ટ થાય છે.

સંચાલકો-શિક્ષણવિદો સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય કર્યોઃ શિક્ષણમંત્રી
શિક્ષણમંત્રી મુજબ, આ નિર્ણયના અંતિમ નિષ્કર્ષ પર આવતાં પહેલાં શિક્ષણ વિભાગ, સ્કૂલ-કોલેજ, યુનિવર્સિટીના સંચાલકો-શિક્ષણવિદો એમ વિવિધ સ્ટેક હોલ્ડર્સ સાથે બેઠકોનો દોર યોજી, સૌના મત મેળવીને સરકારે આખરી નિર્ણય કર્યો છે. દિવાળી પછી એટલે કે 23 નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક અને કોલેજ-યુનિવર્સિટીઝમાં શિક્ષણકાર્ય શરૂ કરવાનો કેબિનેટે નિર્ણય કર્યો છે. 23મી નવેમ્બર, સોમવારથી રાજ્યના ધો-9 થી 12ના વર્ગો ભારત સરકારની SOP ગાઇડલાઇન્સના સંપૂર્ણ પાલન સાથે શરૂ કરી દેવાશે.

કોલેજીસ-યુનિવર્સિટીઝમાં પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ અને પેરામેડિકલ વર્ગો શરૂ થશે
શિક્ષણમંત્રીએ આગળ કહ્યું હતું કે જ્યારે કોલેજોમાં પણ 23મી નવેમ્બરથી શૈક્ષણિક કાર્ય શરૂ થશે. કોલેજો અને યુનિવર્સિટીઝમાં પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ અને પેરામેડિકલ વર્ગો શરૂ થશે તેમજ અંડરગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કક્ષા માટે માત્ર ફાઇનલ યરના જ કલાસ શરૂ કરવામાં આવશે. ઇજનેરી વિદ્યાશાખામાં પણ ફાઇનલ યર અને ITI તથા પોલિટેક્નિક કોલેજીસ પણ 23મી નવેમ્બરથી કાર્યરત થશે.

સ્કૂલો અને વાલીઓએ આ બાબતોનું ધ્યાન રાખવું પડશે

સ્કૂલ-કોલેજીસ શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા કરવી પડશે.
વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ચેકિંગ, સેનિટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની રહેશે.
વર્ગખંડોમાં અને શાળા-કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ એટલું જ નહિ, માસ્કનો ફરજિયાત ઉપયોગ થવો જોઈએ.
સ્કૂલ-કોલેજથી નજીકના અંતરે મેડિકલ સેવાઓ ઉપલબ્ધ હોય એની પણ ખાતરી કરવી પડશે.
ભારત સરકારની SOPને અનુસરતાં રાજ્યમાં શાળા-કોલેજો દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે એ યથાવત રહેશે.
રાજ્યમાં આવેલી તમામ બોર્ડની બધી જ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ આદિ જાતિ વિકાસ વિભાગની શાળાઓને SOP લાગુ પડશે.
આગામી 23 નવેમ્બરથી રાજ્યમાં ધો-9 થી 12ની સ્કૂલો તેમજ પી.જી, મેડિકલ-પેરામેડિકલ ઉપરાંત અંડરગ્રેજ્યુએટ ફાઇનલ યરના વર્ગો શરૂ થશે.
બાકીનાં વર્ગો-ધોરણોનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગે સમયાનુસાર યોગ્ય નિર્ણય લઇને સરકાર પછીથી જાહેરાત કરશે.
સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી.
સ્કૂલે આવવા માટે વિદ્યાર્થીનાં માતા-પિતા કે વાલીની લેખિત સંમતિ પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે.
વિદ્યાર્થી પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય છાત્રો સાથે આપ-લે ન કરે એ જોવાનું પણ જણાવવામાં આવશે
વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું પડશે.
સ્કૂલ-કોલેજ સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડ ન થાય એ માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે તેવું આયોજન આચાર્ય-પ્રિન્સિપાલે ગોઠવવાનું રહેશે.
આ હેતુસર રાજ્ય સરકારે ઓડ-ઈવન એટલે કે ધોરણ 9 અને 11 માટે અઠવાડિયામાં ત્રણ દિવસ અને 10 તેમજ 12 માટે ત્રણ દિવસ શાળામાં શિક્ષણકાર્ય થાય તેવી વ્યવસ્થા પણ જરૂરિયાત મુજબ ગોઠવવા જણાવ્યું છે.
વિદ્યાર્થીઓ ક્રમાનુસાર અઠવાડિયામાં નિયત કરેલા દિવસોએ સ્કૂલમાં આવે અને બાકીના દિવસોમાં ઘરે બેઠા એસાઇનમેન્ટ કરે તેવું આયોજન કરવા પણ સૂચવવામાં આવ્યું છે.
સામૂહિક પ્રાર્થના–મેદાન પરની રમતગમત કે અન્ય સામૂહિક પ્રવૃત્તિ ન કરવા પણ સૂચના આપી છે.
વાલીઓ તેમના વ્યક્તિગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ બાળકને સ્કૂલે જવા-આવવા કરે, એ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
જે વિદ્યાર્થીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય તેમને પણ સ્કૂલ તરફથી સાવચેતી-સતર્કતાનું યોગ્ય માર્ગદર્શન અપાશે.
ગુજરાતમાં શાળા ખોલવા વિશે સરકારની તૈયારી

- 23મી નવેમ્બરથી માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક અને કોલેજમાં શૈક્ષણિક કાર્ય શરૂ

- 23નવેમ્બરથી ધોરણ 9-12ના વર્ગો ભારત સરકારની ગાઈડલાઈન સાથે શરૂ થશે

- મેડિકલ અને પેરામેડિકલ, ગ્રેજ્યુએટ્સ, એન્જિનિયરિંગ, પોલીટેકનિક, ITI શરૂ થશે
- શાળા-કોલેજમાં વિદ્યાર્થીની ગેરહાજરી નહી ગણાય

- વાલીઓની લેખિત મંજૂરી શાળા-કોલેજે લેવાની રહેશે

- ઓનલાઈન શિક્ષણ પણ ચાલૂ રહેશે
....... સૂત્રો 
( VASAVE NITIN ) RELAX NEWS TAPI CONTACT NO.+917069995108

તાપી જિલ્લામાં નદી-જળાશય વિસ્તારોમાં પ્રવેશ પર પ્રતિબંધ અગમચેતીના ભાગરૂપે જાહેરનામું બહાર પાડાયું, 19 સપ્ટેમ્બર 2025 સુધી અમલમાં રહેશે

તાપી, તા. 21 જુલાઈ – તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા એક અગત્યનું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના વિવિધ ...