Monday, July 21, 2025

તાપી જિલ્લામાં નદી-જળાશય વિસ્તારોમાં પ્રવેશ પર પ્રતિબંધ અગમચેતીના ભાગરૂપે જાહેરનામું બહાર પાડાયું, 19 સપ્ટેમ્બર 2025 સુધી અમલમાં રહેશે

તાપી, તા. 21 જુલાઈ –

તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા એક અગત્યનું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના વિવિધ નદી, તળાવ અને જળાશય વિસ્તારોમાં સામાન્ય જનતાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


અગમચેતીના ભાગરૂપે લેવાયેલા આ નિર્ણય હેઠળ એવી સંભાવના છે કે વરસાદી મોસમ દરમિયાન નદીઓ અને જળાશયો ખતરનાક બની શકે છે, તેથી કોઈ અનિચ્છનીય ઘટના ટાળવા આ પગલાં ભરવામાં આવ્યા છે.


પ્રતિબંધગ્રસ્ત વિસ્તારોમાં વ્યારા નગરપાલિકા હસ્તકનું તળાવ, ઉકાઈ ડાબા કાંઠાની નહેર, છીંડીયા ગામની ઝાંખરી નદી, વેલ્દા ફળિયામાં અમૃતસરોવર, ચિખલી ગામની મીંઢોળા નદી અને ડેમ, વિરપુર-કાટગઢ વિસ્તારમાં મીંઢોળા નદીનો કિનારો, ચુનાવાડી પાસે ખાપરી નદી, થુટી, ઉકાઈ જળાશયના વિસ્તારો (જામકી, હરીપુર, વડદેખુર્દ), તાપી નદીના કિનારાવાળા ગામો (કણઝા, કાળાવ્યારા, બેડકુવાદુર), પદમડુંગરી પાસે અંબિકા નદીનો વિસ્તાર, વાલોડમાં વાલ્મીકી નદીનો પુલ વિસ્તાર, બાજીપુરા તથા ડોસવાડા ડેમસાઇટ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.


જિલ્લા પ્રશાસને સ્પષ્ટ જણાવ્યું છે કે માછીમારી સાથે સંબંધિત વ્યાવસાયિકોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.


આ જાહેરનામું તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયું છે અને તે 19 સપ્ટેમ્બર 2025 સુધી લાગુ રહેશે. જાહેરનામાની ઉલ્લંઘના કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


- માહિતી બ્યુરો, નિતીન વસાવે 


Saturday, November 5, 2022

મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલ તૂટતા અનેક લોકો પાણીમાં ખાબક્યો, અનેક લોકો પુલ પર લટકાયા

મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલ તૂટતા અનેક લોકો પાણીમાં ખાબક્યો, અનેક લોકો પુલ પર લટકાયા

https://youtu.be/HKQ71xsrK04

Friday, November 4, 2022

તાપી જિલ્લામાં ચાર કે તેથી વધુ વ્યકિતઓએ ભેગા થવુ નહી.


આગામી વિધાનસભાની સામાન્ય ચુંટણી તા.૦૧/૧૨/૨૦૨૨ અને મતગણતરી તા.૦૮/૧૨/૨૦૨૨ ના રોજ થનાર છે. તાપી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.જે વલવીએ ચુંટણી પર્વને અનુલક્ષીને શાંતિ-સલામતી માટે એક જાહેરનામા દ્વારા મળેલી સત્તાની રૂએ તાપી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તાત્કાલિક અસરથી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અનઅધિકૃત રીતે ચાર કે તેથી વધુ વ્યકિતઓના ભેગા થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.કોઈપણ વ્યકિત/વ્યકિતઓએ આ હુકમની તારીખથી તા.૧૦/૧૨/૨૦૨૨ સુઘીના સમયગાળા દરમ્યાન (બંને દિવસો સહિત) સબંધિત ચૂંટણી અધિકારીશ્રીની પરવાનગી વિના કોઈ સભા બોલાવવી નહીં કે સરઘસ કાઢવું નહીં. કોઈપણ રાજકીય પક્ષો કે ઉમેદવારો દ્વાર સભા કે સ૨ઘસનું આયોજન ક૨તા પહેલા સબંધિત ચૂંટણી અધિકારીશ્રીની ૫૨વાનગી મેળવવાની રહેશે. ઉમેદવા૨ ઉમેદવારી પત્રો ભ૨વા કે ઉમેદવારી પત્રોની ચકાસણીમાં કે ચૂંટણી પ્રતિકની ફાળવણીની પ્રક્રિયામાં હાજરી આપવા માટે ચુંટણી અધિકારીશ્રીની કચરીમાં જતી સમયે મોટા સ૨ઘસ સ્વરૂપે જવું નહીં. જયાં એક પક્ષે સભા યોજી હોય એવા સ્થળોએ બીજા પક્ષે સ૨ઘસ લઈ જવું નહીં. તેમજ ખલેલ પહોંચાડવી નહીં.ચૂંટણીની સભા, સ૨ઘસ અને રેલીમાં સ્થાનિક કાયદા અને અમલમાં હોય તે પ્રતિબંધક હુકમને આધિન ધ્વજ, બેનર્સ કે કટ આઉટ ૨ાખી શકશે. આવા સરઘસમાં પક્ષે/ઉમેદવારે પુરા પાડેલ ટોપી, માસ્ક, સ્કાર્ફ વગેરે પહેરી શકાશે.પક્ષે પુરા પાડેલ સાડી/શર્ટ જેવા મુખ્ય વસ્ત્રો પહેરી શકાશે નહીં.
  આ નિયામો લગ્નનના વઘોડા, સિનેમામાં, ટાઉન હોલમાં, સ્મશાન યાત્રામાં, એસ.ટી.બસમાં, રેલ્વેમાં મુસાફરી માટે કે મંદિર, મસ્જીદ કે દેવળમાં પ્રાર્થના માટેના શુધ્ધ આશયથી જતી વ્યક્તિઓને લાગુ પડશે નહી. આગામી તા.૧૦/૧૨/૨૦૨૨ના કલાક ૨૪:૦૦ સુધી તાપી જિલ્લા હસ્તકના સમગ્ર વિસ્તા૨માં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ ક૨ના૨ વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાયેલ વાહનો ઉપર વિન્ડ સ્ક્રીન ઉપર પરમીટ લગાડયા સિવાય ચૂંટણી પ્રચા૨ કરી શકશે નહી

ભા૨તીય ચુંટણી આયોગ દ્વારા તા.03/૧૧/૨૦૨૨ ના રોજ પ્રસિધ્ધ ક૨વામાં આવેલ પરિપત્ર થી તા.૦૧/૧૨/૨૦૨૨ અને તા.૦૫/૧૨/૨૦૨૨ ના રોજ યોજાનાર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ નો વિગતવા૨ કાર્યક્રમ જાહે૨ ક૨વામાં આવેલ છે. જે અંતર્ગત આદર્શ આચારસંહિતા બાબતે માર્ગદર્શક સુચનાઓ બહાર પાડી તેનો અમલ કરવા સુચના આપવામાં આવેલ છે. ચુંટણીને અનુલક્ષીને રાજકીય પક્ષોના ઉમેદવારો તેમના કાર્યકરો સાથે વાહન ઉપર લાઉડ સ્પીક૨ લગાડી પ્રચાર કરતા હોય છે અથવા પ્રચા૨ કરાવતા હોય છે. પ્રચારમાં વાહનોનો ઉપયોગ કરવા માટે જે તે વિસ્તા૨ના સક્ષમ અધિકારીશ્રી પાસે વાહનની નોંધણી કરાવી પરવાનગી લેવાની હોય છે. આવી મેળવેલ પરવાનગી/પરમીટો વાહન ઉપર સ્પષ્ટ રીતે દેખાય તે રીતે વિન્ડ સ્ક્રીન પર લગાવવાની હોય છે. વધુમાં પ્રચાર માટે માઇકનો ઉપયોગ કરવા માટે પણ સબંધિત સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવવાની હોય છે. જે સુચનાઓનો ચુસ્ત પણે અમલ થાય તથા ચૂંટણી પ્રક્રિયા મુકત અને ન્યાયી વાતાવ૨ણમાં યોજાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, તાપી-વ્યારા આર.જે.વલવી દ્વારા ફોજદારી કાર્યરીતિ અર્ધનયમ-૧૯૭૩ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએથી જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવે છે. 
આ જાહેરનામા અનુસાર કોઇ પણ રાજકીય પક્ષના ઉમેદવારો કે કાર્યકરો પોતાના પક્ષના ચૂંટણી પ્રચાર માટે વાહનનો ઉપયોગ વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારીશ્રી પાસે વાહનની નોંધણી કરાવી ૫૨વાનગી મેળવ્યા સિવાય વાહનનો કે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી ચૂંટણી પ્રચાર કરી શકશે નહી. ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાયેલ વાહનો ઉપર વિન્ડ સ્ક્રીન ઉપર પરમીટ લગાડયા સિવાય ચૂંટણી પ્રચા૨ કરી શકશે નહી. વગ૨ ૫રવાનગીએ વાહનમાં લાઉડર-સ્પીકરનો ઉપયોગ કરી ચૂંટણી પ્રચાર કરવા ઉ૫૨ પ્રતિબંઘ ફરમાવવામાં આવે છે. આ હુકમ તા.૧૦/૧૨/૨૦૨૨ના કલાક ૨૪.00 સુધી તાપી જિલ્લા હસ્તકના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. તાપી જિલ્લામાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ થી નાયબ પોલીસ અધિક્ષકશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરીયાદ ક૨વા માટે અધિકૃત ક૨વામાં આવે છે.

આદર્શ આચારસંહિતા અનુસંધાને તાપી જિલ્લાના પરવાનેદાર હથીયાર ધારકોએ પોતાના હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ આગામી તા.૦૧/૧૨/૨૦૨૨ અને તા.૦૫/૧૨/૨૦૨૨ ના રોજ યોજાના૨ હોઇ તાપી જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ની ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ ૨હે તથા મુકત અને ન્યાયી વાતાવ૨ણમાં ચૂંટણી થાય તેમજ ચૂંટણી પ્રક્રીયા દરમ્યાન લોકોની સલામતી જળવાય તે માટે કેટલાક નિયંત્રણો મુકવા આવશ્યક જણાય છે. જે અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે અમલ કરવાની આદર્શ આચારસંહિતા મુજબ વિધાનસભાની ચુંટણીઓ જાહે૨ થાય એટલે હથિયાર લાયસન્સ ધરાવતી કોઈપણ વ્યક્તિઓને જે તે લાયસન્સના હથિયારો જિલ્લા સત્તાવાળાઓ પાસે જમા ક૨વા જરૂરી છે. ચૂંટણી પરિણામ જાહે૨ થયા પછી આવા હથિયારો પ૨ત ક૨વા અને લાયસન્સવાળા હથિયારો લાવવા-લઇ જવા ૫૨ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન હથિયારોનો ગેરકાયદેસર રીતે કોઇ પણ પ્રકારે ઉપયોગ ન થાય, તે માટે તાપી જિલ્લાના સમગ્ર વિસ્તા૨માં હથિયારો સાથે રહેવા, હ૨વા કે ફ૨વા ઉ૫૨ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તાપી જિલ્લાના સમગ્ર વિસ્તા૨માં લાયસન્સ હેઠળ ધા૨ણ ક૨તા હથિયા૨ ધારકોએ ધા૨ણ કરેલ હથિયારો તાત્કાલિક અસરથી નજીકના પોલીસ સ્ટેશનમાં જમાં કરાવવાનું રહશે. આ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, તાપી-વ્યારા આર.જે.વલવી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ – ૧૯૭૩ ની કલમ-૧૪૪ તથા શસ્ત્ર અનિયમ – ૧૯૫૯ની કલમ - ૧૭(૩) ખ થી મળેલ સત્તાની રૂએ, તાપી જિલ્લાના તમામ શસ્ત્ર ૫૨વાનેદારોને તેઓના શસ્ત્ર ૫૨વાના હેઠળનું અગ્નિશસ્ત્ર તથા દારૂગોળો નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરવા જણાવ્યું છે.
આ ઉપરાંત તાપી જિલ્લાના તમામ વિસ્તા૨માં કોઇ પણ વ્યક્તિએ શસ્ત્ર અનિયમ-૧૯૫૯ની કલમ-૨ની વ્યાખ્યામાં આવતું કોઇ પણ હથિયા૨ પોતાની પાસે રાખવું નહી તથા ધા૨ણ ક૨વું નહી અથવા આવા હથિયા૨ સાથે હરવું-ફરવું નહી. તાપી જિલ્લા કાર્યક્ષેત્ર બહારથી મેળવેલ પરવાના ધા૨ણ ક૨ના૨ વ્યક્તિઓએ પણ હથિયાર તાત્કાલિક અસરથી નજીકના પોલીસ સ્ટેશનમાં જમાં કરાવવાના રહેશે.
 આ ઉપરાંત અપવાદ રૂપ બાબતો જેવી કે સ૨કારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય, તેમને ઉપરી અધિકારીઓએ આવુ કોઈ હથિયા૨ લઈ જવાનું ફરમાવ્યુ હોય, અથવા કોઇ હથિયા૨ લઇ જવાની ફ૨જ હોય તો તે વ્યક્તિઓ, રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેન્કો અને સેન્ટ્રલ ગર્વમેન્ટ તેમજ રાજય સ૨કા૨ના સાહસોની સુરક્ષા અર્થે રાખેલ સીકયુરીટી ગાર્ડ તેમજ તાપી જિલ્લામાં આવેલ હીરાની ફેકટરીઓ તથા સોના-ચાંદીની દુકાનોની સલામતી અર્થે ફ૨જ બજાવતા સીકયુરીટી ગાર્ડ (વ્યક્તિઓ) અત્રેથી ૫૨વાનગી મેળવ્યા બાદ કામકાજના સમય દરમ્યાન હથિયા૨ સુરક્ષાર્થે રાખી શકશે. સ્વરક્ષણ તેમજ પાકક્ષણના હેતુસર અગત્યના કા૨ણોસ૨ આપવામાં આવેલ મંજુરીના કિસ્સામાં ૫૨વાનેદા૨ને હથિયા૨ રાખવાની છુટ રહેશે. આ હુકમ આગામી તા.૧૦/૧૨/૨૦૨૨ના કલાક ૨૪.00 સુધી તાપી જિલ્લા હસ્તકના સમગ્ર વિસ્તા૨માં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ ક૨ના૨ વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

તાપી જિલ્લામાં જાહેર સુલેહ, શાંતિ અને સલામતિ અંગેનું જાહેરનામું

તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા જાહેર સુલેહ, શાંતિ અને સલામતિ જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ જાહેરનામું બહાર પાડી નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. 
 
જાહેરનામા અનુસાર કોઇ પણ વ્યક્તિએ શસ્ત્રો, દંડા, તલવાર, સોટા, ધોકા, બંદુક, છરા લાકડા કે લાકડી, લાઠી, શારીરિક ઇજા પહોંચાડી શકાય તેવું બીજું કોઇ પણ સાધન સાથે લઇ જવું નહિં. કોઇ પણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઇ જવા નહિં. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ ફેંકવાના કે ધકેલવાના શસ્ત્રો, અથવા સાધનો લઇ જવા નહિં કે એકઠા કરવા નહિં તથા તૈયાર કરવા નહિં. ધાર્મિક સ્થળોએ લોકોની લાગણી દુભાય તેવું કૃત્ય કરવું નહિં. તેમજ પ્લાસ્ટિકની કોથળીઓમાં કોઇ પદાર્થ કે પાણી ભરીને ધાર્મિક સ્થળોએ ફેંકવા નહિં. કોઇ રાહદારી કે અન્ય ધર્મના લોકોની લાગણી દુભાય તેવું કૃત્ય કરવું નહિં. જેનાથી સુરૂચિ અથવા નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહિં, તેવા હાવભાવ, ચેષ્ટા કરવી નહીં કે તેવા ચિત્રો, પત્રિકા કે પ્લેકાર્ડ અથવા બીજા કોઇ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવી નહિં, બતાવવી નહિં અથવા તેનો ફેલાવો કરવો નહિં. જલતી અથવા પેટાવેલી મશાલ લઇ જવી નહિં. લોકોને અપમાનિત કરવાના ઇરાદાથી જાહેરમાં બુમો પાડવી નહિં તથા સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય જાહેરસભા અથવા સરઘસનું આયોજન કરવું નહિં. 
 આ હુકમ સરકારી કર્મચારી કે કામ કરતી કોઇ પણ વ્યકતિ કે જેને ઉપરી અધિકારીએ સરકારી ફરજ બજાવવા, આવું કોઇ હથિયાર લઇ જવાની આજ્ઞા આપેલ હોય તેવા કિસ્સામાં, જિલ્લા મેજીસ્ટ્રેટ તથા જિલ્લા પોલીસ વડાએ અધિકૃત કરેલા અધિકારી કે કર્મચારી કે પોલીસ અધિકારીને તથા જેને શારિરીક અશક્તિને કારણે લાકડી, લાઠી લઇ જવાની જરૂરિયાત હોય તેવી વ્યક્તિઓને તથા સરકારી અથવા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓને લગતા કાર્યક્રમોને લાગુ પડશે નહિં.આ હુકમ તા.17-11-2022 સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Friday, June 11, 2021

કૂકરમુંડા અને નિઝર તાલુકા ના તમામ પત્રકારો એ કોરોના વેક્સિન લીધી

પત્રકારો સાથે સાથે કૂકરમુંડા તાલુકા માં આજે 30 જેટલા લોકોએ વેક્સિન લીધી

આજે કૂકરમુંડા તાલુકા ના રાજપુર ગામે CHC કૂકરમુંડા દ્વારા કોરોના રસીકરણ નો કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં કૂકરમુંડા તાલુકા ના તમામ પત્રકારો જોડાય હતા અને પત્રકારો એ પણ લોકો સાથે એક જૂટ થઈ કોરોના વિરોધી રસી લીધી હતી અને સાથો સાથ તાલુકા ના 30 જેટલા લોકો એ પણ રસીકરણ માં ભાગ લઈ રસી લીધી હતી. જેમાં કૂકરમુંડા તાલુકા ના પત્રકાર હંસરાજ પાડવી સાથે સાથી પત્રકારો નિતીન વસાવે, ચરણ વળવી, સુહાસ વળવી અને જયદીપ વસાવા વગેરે એ ભાગ લીધો હતો અને રસીકરણ ને વધુ વેગ આપ્યો હતો. વધુ માં ગત દિવસો માં નિઝર તાલુકા ના પત્રકારો જેહરસિંગ વસાવે,ગૌતમ  ગુલાલે, ગુલશન વસાવા વગેરે પત્રકાર મિત્રો એ તાલુકા ના લોકો સાથે મળી કોરોના વેક્સિન લીધી હતી અને બીજા લોકો ને પણ રસી લેવા માટે અપીલ કરી હતી.

તાપી જિલ્લામાં નદી-જળાશય વિસ્તારોમાં પ્રવેશ પર પ્રતિબંધ અગમચેતીના ભાગરૂપે જાહેરનામું બહાર પાડાયું, 19 સપ્ટેમ્બર 2025 સુધી અમલમાં રહેશે

તાપી, તા. 21 જુલાઈ – તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા એક અગત્યનું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના વિવિધ ...